પ્રાચીન અને આધુનિક ખગોળશાસ્ત્રના દ્રષ્ટિકોણો અને કુર્આને કરીમના ફરમાનો
અલ્લાહ તબારક વ તઆલાએ વિરાટ વિશ્વનું સર્જન કરી તેનું એક સમવાયી વ્યવસ્થાપનતંત્ર બનાવ્યું, તેની આ અદ્ભૂત કારીગરીને સમજવા માટે માનવની સમજણ અને જ્ઞાન અપૂરતું છે. કુર્આને કરીમમાં આ બધી ખગોળીય ઘટનાઓનો ઉલ્લેખ માનવીને તેમાં ચિંતન કરી લાભ પ્રાપ્ત કરવાની હદ સુધી કરવામાં આવ્યો છે તથા તેના સ્થાપિત સિદ્ઘાંતો જે કુર્આને નક્કી કર્યા છે તેમાં ફોગટની બહસ અને આયતોના અર્થો અને તફસીરની તા’વીલ કરી ખેંચતાણ કરવાની મોટાભાગના તફસીરકારોએ મનાઈ કરી છે. કારણ કે આધુનિક ખગોળીય અને વૈજ્ઞાનિક વિદ્યાકળાઓ પોતે સ્વીકારે છે કે અવકાશ સંબંધિત જેટલી પણ થિયરીઓ આધુનિક વિજ્ઞાને શોધી અને સ્થાપિત કરી છે તે એ જ આખરી અને સંપૂર્ણ સત્ય નથી, તેમાં મૂળેથી ફેરફાર થવાનો અથવા એ થિયરીઓથી તદ્દન ઊલટી થિયરીઓ અસ્તિત્વ ધરાવતી હોવાનો ઇન્કાર કરી શકાતો નથી. – ઇલ્યાસ પટેલ ખાનપુ રી
વધુ વાંચો નીચેની ઇ-બુકમાં…
Skip to PDF content Download
